Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

હાર્દિક પટેલને કડવા પાટીદાર સમાજની ઉંઝાની સર્વોચ્ચ ઉમિયા માતાજી સંસ્થાનું સમર્થનઃ સરકારમાં રજુઆત કરશેઃ ઠરાવ

 કડવા પાટીદારોની સર્વોચ્ચ ગણાતી ઉંઝા પાટીદાર સંસ્થા  દ્વારા મધ્યસ્થી બનવા તૈયારી દર્શાવી ગઇકાલે ઉંઝા ખાતે મળેલ બેઠકમાં અનામત અને દેવા માફીની હાર્દિક પટેલની માગણીઓ અંગે ઠરાવ કર્યો હતો તથા દેવા માફીની હાર્દિક પટેલની માગણીઓ અંગે  સમર્થન આપતો ઠરાવ કર્યો હતો તથા દેવા માફી અંગે સરકારમાં રજુઆત કરવા જાહેરાત કરી છે : પાટીદારોના હિત માટે  હાર્દિક પટેલની લડાઇમાં ઉંઝા સંસ્થા મધ્યસ્થી બનવા તૈયાર છે.  ઉમિયા માતાજી ઉંઝાની આ સંસ્થાએ સામાન્ય સભામાં હાર્દિકને પુર્ણ સમર્થન જાહેર કરેલ છે. આમ હાર્દિક પટેલની માંગો માટે  કડવા પાર્ટીદાર સમાજની  છ સંસ્થાઓએ મધ્યસ્થી બનવા માટે  તૈયાર દર્શાવી છે.

(12:05 pm IST)