Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

પ્રજાના પ્રશ્ને એક યુવાન ઉપવાસ કરે તે સમાજ માટે કલંક સમાન : જીતનરામ માંઝી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ લીધી હાર્દિક પટેલની મુલાકાત: પાટીદારોની અનામતની વાત 100 નહી 200 ટકા સાચી

અમદાવાદમાં નવ દિવસથી ઉપવાસ પર રહેલા હાર્દિક પટેલ સાથે બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને હમ પાર્ટીના અધ્યક્ષ જીતનરામ માંઝીએ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ હિન્દુસ્તાન અવામ મોર્ચાના અધ્યક્ષ જીતનરામ માંઝીએ સરકાર પર નિશાન તાક્યું હતું. પ્રજાના પ્રશ્ને એક યુવાન ઉપવાસ કરે તે સમાજ માટે કલંક સમાન છે

   તેમણે પાટીદારોની અનામતની વાત 100 નહી 200 ટકા સાચી હોવાની વાત કહી હતી. અને સાથે જ રામ મનોહર લોહિયાના નિવેદનને ટાંક્યુ હતું. ભાજપ પાસે લોકસભામાં પુર્ણ બહુમત છે.અને રાજ્યસભામાં પણ બહુમતી દેખાય છે..ત્યારે બંધારણમાં સેશોધન કરવુ જોઈએ. યુવાન નવ નવ દિવસથી ઉપવાસ કરે અને સરકાર ધ્યાન ન આપે તો સરકાર પાપ કરી રહી હોવાનો પણ કહ્યું હતું.

(6:35 pm IST)