Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રાજપીપળામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિ:શુલ્ક અનાજ વિતરણથી લાભાર્થીઓમાં ખુશી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનના રાજ્યવ્યાપી કાર્યક્રમો ભાગરૂપે તા.૩ જી ઓગષ્ટ,૨૦૨૧ ને મંગળવારના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત NFSA લાભાર્થીઓને પાત્રતા મુજબ નિ:શુલ્ક અનાજ વિતરણ પ્રારંભ થયો હતો જેમાં રાજપીપળાની સસ્તા અનાજની દુકાનો પરથી કાર્ડ ધારકો નિઃશુલ્ક અનાજનો જથ્થો મેળવી સરકારની આ યોજના ગરીબ લોકો માટે ખાસ ઉપયોગી અને જરૂરી જણાવી આભાર માન્યો હતો.
 

 

(11:38 pm IST)