Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રાજ્યમાં કોરોના વિદાય ભણી : કુલ 25 જિલ્લા અને 5 મહાનગરમાં એકપણ કેસ નોંધાયો નથી

ફક્ત 7 જિલ્લા અને 3 મનપામાં જ નવા કેસ નોંધાયા :કોરોના વાયરસની બીજી લહેર સમાપ્ત તરફ

>અમદાવાદ :રાજયમાં કોરોના વાયરસની બીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે જેના કારણે હવે 20-30ની વચ્ચે રોજ નવા કેસ નોંધાઈ રહ્યા છે. દરમિયાન રાજ્યમાં આજે કુલ 25 જિલ્લા અને 5 મહાનગરમાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે. આમ શહેર હોય કે ગામ ગુજરાતમાં કોરોના કાબૂમાં છે.
  રાજ્યના ફક્ત 7 જિલ્લા અને 3 મનપામાં જ નવા કેસ નોંધાયા છે. આમ 17 કેસની દૃષ્ટીએ માટે રાજ્યના અન્ય શહેરો પણ સુરક્ષિત છે.
   આજે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એક પણ કેસ નોંધાયો.નથી
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 2, આણંદ 1, જામનગર 1, જૂનાગઢ 1, મહેસાણા 1, નવસારી 1, પાટણ 1, વડોદરા 1 કેસ નોંધાયો છે.
(9:08 pm IST)