Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સુરતના હજીરા વિસ્તારમાં આધેડ મહિલાની તીક્ષ્ય હથિયારના ઘા જીકી અગમ્ય કારણોસર હત્યા કરી દેવામાં આવતા પોલીસતંત્ર દોડતું થયું

સુરત: શહેરનાહજીરા વિસ્તારના દામકા ગામમાં બ્રાહ્મણ પરિવારની આધેડ મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ઇચ્છાપોર પોલીસ દોડતી થઇ ગઇ છે. હત્યા પાછળ જાણભેદુની સંડોવણીની આશંકા સાથે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

ચોર્યાસી તાલુકાના હજીરા વિસ્તારના દામકા ગામમાં રહેતા કર્મકાંડી વસંતભાઇ જોષીની પત્ની ગીતાબેન (ઉ.વ. 53) આજે વ્હેલી સવારે ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. વસંતભાઇએ આ અંગેની જાણ પુત્ર કરણને કરતા તે પણ દોડી આવ્યો હતો અને કંટ્રોલ રૂમમાં જાણ કરતા ઇચ્છાપોર પોલીસ દોડી આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં તીક્ષ્ણ હથિયારના ચારથી પાંચ ઘા પેટમાં ઝીંકયા હોવાનું અને જાણભેદુ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી છે.

(6:22 pm IST)