Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

વિરમગામ ખાતે દિવ્યાંગ ભાઇઓને ઉકાળા કીટ ત્થા માસ્કનું વિતરણ કરાયુ

અમદાવાદ જીલ્લા મહામંત્રી નવદિપભાઇ ડોડીયા દ્વારા વિતરણ કરાયુ

 (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે અમદાવાદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને વિરમગામ નગરપાલીકાના પુર્વ ઉપ પ્રમુખ નવદિપભાઇ ડોડીયા દ્વારા દિવ્યાંગ ભાઇઓને શક્તિવર્ધક આયુર્વેદિક ઉકાળાની કીટ તથા માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

     અમદાવાદ જીલ્લા ભાજપના મહામંત્રી નવદિપભાઇ ડોડીયાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્યનાં પ્રજા વત્સલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં જન્મદિવસ નિમિત્તે વિરમગામ ખાતે દિવ્યાંગ ભાઈઓ તેમજ તેમના પરિવાર માટે ‘આયુર્વેદિક ઉકાળા’ ની કીટ તેમજ ‘માસ્ક’ નું વિતરણ કરવામાં આવ્યું હતુ

(4:56 pm IST)