Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સિટી બ્યુટીફિકેશન માટે અમદાવાદ મનપાને વધુ એક તળાવ વિનામૂલ્યે સોંપવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય

વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે: રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ તળાવો સોંપ્યા

 

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ એક તળાવનો વિકાસ કરવા માટે તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે.તદ્અનુસાર અમદાવાદના વેજલપૂર તાલુકાના સર્વે નં. ૭૮૩માં આવેલી ૩ર૦૭ર ચો.મી. ક્ષેત્રફળનું તળાવ વિકાસ માટે અમદાવાદ મહાપાલિકાને ફાળવાશે

   સિટી બ્યુટીફિકેશન માટે તથા તળાવની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા અને મનોરંજન માટેના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે મહાનગરપાલિકા તળાવનો વિકાસ કરશે.
  
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ અગાઉ માર્ચ-ર૦ર૦માં તળાવો તથા જૂન મહિનામાં તળાવ એમ કુલ પાંચ તળાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે.

   મુખ્યમંત્રીના નિર્ણય અનુસાર રાજ્ય સરકારે જે પાંચ તળાવો અમદાવાદ મહાપાલિકાને સિટી બ્યૂટીફિકેશન માટે સોંપેલા છે તેમાં વટવાના સર્વે નંબર ૯૦૭ પરનું વાંદરવટ તળાવ, છારોડીના સર્વે નંબર ૨૫૧ પરનું સરકારી તળાવ તેમજ ગોતામાં સર્વે નંબર પરનું ગામ તળાવ અને શીલજમાં બ્લોક નં.૮૬ પરનું સરકારી તળાવ અને ઘાટલોડીયા તાલુકાના સોલાના સર્વે નં. માં આવેલા ૩૭૧૯૪ ચો.મી. ક્ષેત્રફળના ગામ તળાવ સોલાનો સમાવેશ થાય છે.

-- 

(11:14 pm IST)