Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રાજપીપળા વડીયા પેલેસ પાસેની બેંક ઓફ બરોડામાં સોસિયલ ડિસ્ટનસિંગ જાળવવા ઉપરી અધિકારીને રજુઆત

અંબિકા નગર સોસાયટી ની બહાર આવેલી બીઓબી માં સોસીયલ ડિસ્ટનસિંગ જાળવવા બાબતે બેંક મેનેજર ને જાણ કરી ત્યારે ઉડાઉ જવાબ મળતા રિજીઓનલ મેનેજરને રજુઆત કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના વડીયા પેલેસ નજીક આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં કોરોના મહામારી વચ્ચે પણ સોસીયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડતા ત્યાંની સોસાયટીના રહીશો એ રજુઆત કરતા બેંક મનેજર નો બેજવાબદારી ભર્યો જવાબ મળતા આખરે કંટાળેલા સોસાયટીના રહીશોએ બીઓબીના રિજીઓનલ મેનેજર ને લેખિત રજુઆત કરી છે.
  રજુઆત માં જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે.બેન્ક ઓફ બરોડા,વડીયા પેલેશ ખાતે દિવસભરમાં ૧૦૦ થી વધારે માણસો બેન્ક ના કામાર્થે આવન જાવન કરે છે. પરંતુ બેન્ક ઓફ બરોડા તરફ થી કોઇપણ પ્રકારનો સોસીયલડીસટન્સીંગ જાળવવામાં આવતું નથી અને કોઇપણ પ્રકારના પ્રયત્નો બેન્ક પ્રસાસન તરફથી કરવામાં આવાતા નથી. માટે તે અંગે મેનેજરને જણાવતા “તે અમારી ફરજ મા આવતું નથી” તેવો બેદરકારી અને બેજવાબદારી વાળો જવાબ અમને આપવામા આવે છે. જેથી કોરોના માહામારીમાં સોસીયલ ડીસટન્સીંગ જળવાય તે અંગે મૌખિત અને નમ્રતા પૂર્વક રજુઆત કરતા મેનેજર અમારી પાસે લેખીતમાં અરજી આપો પછી અમે કાર્યવાહી કરીશું તેવી માગણી કરે છે અને હાલની ગંભીર પરીસ્થિતિ સામે આખ આડા કાન કરે છે.માટે આ પરિસ્થિતી ધ્યાન પર લઇ ઘટતી કાર્યવાહી ક૨વા અંબિકા નગર સોસાયટી ના રહીશો દ્વારા બીઓબી ના રિજીઓનલ મેનેજર ને રજુઆત કરવામાં આવી હતી.

(6:34 pm IST)