Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અંકલેશ્વરમાં જર્જરિત ઈમારતોને ઉતારી લેવા નોટીસ :130 ઇમારતોના મકાન માલિકોને નોટીસ મોકલાઈ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરમાં આવેલા જર્જરિત ઈમારતો ઉતારી લેવા માલિકોને નોટિસ પાઠવી છે.જેમાં  જોખમી ઈમારતોને સત્વરે ઊતારી લેવાની સૂચના તંત્ર દ્વારા અપાઈ છે અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં આવેલી જોખમી ઈમારતો બાબતે તંત્ર પણ સતર્ક બન્યું છે. પાલિકા વિસ્તારમાં આવેલી ૧૩૦ જેટલી જર્જરિત ઇમારતોના મકાન માલિકોને નોટીસ પાઠવી દેવામાં આવી છે. આવી જોખમી ઇમારતો ઉતારી લેવા અથવા તેનું સમારકામ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

 

(12:33 pm IST)