Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ભરૂચ જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા :સંક્રમિતની કુલ સંખ્યા 47 થઇ

જ્યોતિનગર અને જંબુસર ચોકડી વિસ્તારમાં એક-એક પોઝિટિવ નોંધાયો

ભરૂચ : સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં  વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. સાથે અત્યાર સુધીનો આંકડો 47 પર પહોંચી ગયો છે. જ્યોતિનગર અને જંબુસર ચોકડી વિસ્તારમાં એક-એક પોઝિટિવ નોંધાયો છે.

   ભરૂચ જિલ્લાના વાલિયા રૂપનગર એસ.આર.પી કેમ્પના ચાર જવાન કોરોના પોઝિટિવ આવ્યા હતાં. અમદાવાદ ફરજ બજાવી પરત ફરેલા જવાનોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. કોરોના પોઝિટિવ જવાનોને સારવાર અર્થે સ્પેશ્યિલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

(12:40 pm IST)