Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે એસટી તંત્ર એલર્ટ અમદાવાદ ગીતા મંદિર ડેપોમાં કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો

દક્ષિણ ગુજરાત તરફ જતી બસો પર બાજ નજર રાખવામાં આવી રહી છે

અમદાવાદમાં નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે એસટી તંત્ર એલર્ટ બન્યું છે. ગીતામંદિર એસટી ડેપો ખાતે કન્ટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. દક્ષિણ ગુજરાત તરફ જતી બસો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈ વાવાઝોડાને પગલે બસ ફસાય તો કંટ્રોલ રૂમ દ્વારા મદદ મળશે. નિસર્ગ વાવાઝોડાને લઈને બસ સેવામાં ઉભી થતી અડચણને લઈને કંટ્રોલ રૂમ કામગીરી કરી રહ્યું છે. કોરોનાની મહામારીને ધ્યાને રાખીને કંટ્રોલ રૂમમાં સ્ટાફની તકેદારી માટે લેવાયા પગલાં છે.

(12:18 pm IST)