Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

નર્મદા જિલ્લામાં સોમવારે ૪૭ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૩૧૮ પર પહોંચ્યો

(ભરત શાહ) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૪૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં આશાપુરા મંદિર ૦૧, દોલત બજાર ૦૧, કાળિયાભૂત ૦૧, ટેકરા પોલીસ લાઈન ૦૧, હરસિદ્ધિ નગર ૦૧, કુંભારવાડ ૦૧ તથા નાદોદ તાલુકામાં મેડગામ ૦૧, પ્રતાપપુરા ૦૧, ગોપાલપુરા ૦૧, જીતનગર ૦૧, વડીયા ૦૧, હજરપુરા ૦૧, રામપરા ૦૧, ટીંબી ૦૧, આમલેથા ૦૧, તરોપા ૦૧ તથા ગરુડેશ્વર તાલુકા માં ટીમરવા ૦૧, વાડી ૦૧, કેવડિયા ૦૧, બોરીયા ૦૧, લીમડી ૦૧, ગુનેઠા ૦૧, ભુમાલિયા ૦૧, નવા વાઘપુરા ૦૧, નાની રાવલ ૦૧, સુરવા ૦૧, ગરુડેશ્વર ૦૧, ઓરપા ૦૧, જેતપુર ૦૧ તથા તિલકવાડા તાલુકામાં નલિયા ૦૧, જેસીંગપુરા ૦૧, જલોદરા ૦૧, દેવલીયા ૦૧, રેંગણ ૦૧, કારેલી ૦૧, ટાંકા ૦૧, જલોદરા ૦૧, સેવાળા ૦૧, વજીરીયા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં મોસીટ ૦૧, થવા ૦૧, અરેઠી ૦૧ તથા સાગબારા તાલુકામાં દત્તવાળા ૦૧,કેલ ૦૧, પાટલામહુ ૦૧, ઉમરાણ ૦૧, સાગબારા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૭ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૧૨ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૮૮ દર્દી દાખલ છે, આજે ૩૫ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૦૨૦ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૩૧૮ પર પહોચ્યો છે.આજે વધુ ૧૨૦૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:49 pm IST)