Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ગાંધીનગર નજીક બોલેરો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા સર્જાયેલ ગમખ્વાર અસ્કામતમાં ત્રણ શખ્સોના ઘટનાસ્થળેજ મોત

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે દહેગામના પાલૈયા રોડ ઉપર આજે બપોરે સર્જાયેલા અકસ્માતમાં બોલેરો કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના સ્થળ ઉપર કમકમાટીભર્યા મોત નીપજયા હતા. જે ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે દહેગામ પાલૈયા ત્રણ રસ્તાથી થોડે દુર રેવાબા સ્કુલની પાસે પસાર થઈ રહેલી જીજે-૦૧-એચઝેડ-૫૧૯૭ નંબરની બોલેરો કાર પુરઝડપે અમદાવાદ તરફ જઈ રહી હતી અને સમયે જ કારના ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર રોડસાઈડમાં ઝાડ સાથે અથડાઈ હતી અને બાદમાં નીચે ખાડામાં પટકાઈ હતી. જેના પગલે ત્યાંથી પસાર થતાં વાહનચાલકો ઉભા રહી ગયા હતા અને કારમાં સવાર ઘાયલોને બચાવવા માટે મથામણ શરૃ કરી હતી. ઘટનાની જાણ થતાં ૧૦૮ એમબ્યુલન્સ અને પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. ઘાયલોને બહાર કાઢતાં તેમના મોત નીપજયા હોવાનું જણાયું હતું. તેમના મોબાઈલ નંબરના આધારે પોલીસે પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો. જેમાં અખબારનગર અમદાવાદમાં રહેતા સતીષભાઈ જેણાભાઈ ભરવાડહાથીભાઈ કમશીભાઈ ભરવાડ અને ભાટ ગામના જકશીભાઈ આયાભાઈ ભરવાડ હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો દહેગામ પોલીસે અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા છે. 

(4:54 pm IST)