Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મેઘરજ તાલુકાના વાંસળી ગામે ઘરેથી ઝઘડો કરીને નીકળેલ 60 વર્ષીય વૃદ્ધાની લાશ ડુંગર પરથી મળી આવતા ચકચાર

મેઘરજ:તાલુકાના વાંસળી ગામે ઘરેથી ઝઘડો કરીને નિકળી ગયેલાં ૬૦ વષય વૃધ્ધાની વાંસળીના ડુંગર ઉપરથી મૃત હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે

રવિવારના રોજ વાંસળી ગામના ૬૦ વર્ષીય ધુળીબેન અને તેમના પતિ વચ્ચે બે દિવસ અગાઉ મગનુ શાક બનાવવા બાબતે ઝઘડો થયો હતો અને ઝઘડામાં ધુળીબેન કહેલ કે તમો બીજી પત્નીઓ કરતા ફરો છો તેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી.

 જેથી લાગી આવતા ધુળીબેન ઘર છોડીને ચાલ્યા ગયા હતા ઘટના અંગે ધુળીબાના દિકરાને કોઈકે જાણ કરી હતી કે તારી બા ઘર છોડીને ચાલી ગઈ છે જેથી ધુળીબેનના દિકરાએ ધુળીબેનની શોધખોળ કરી હતી પરંતુ ધુળીબેન ક્યાંય મળીઆવેલ નહિ  જેથી કસાણા ગામેથી પરત આવેલ દિકરાએ મામાના ઘરે અને સગા સબંધીઓમાં બાની તપાસ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી હતી તે દરમ્યાન બાને શોધતા શોધતા ડુંગરોમાં જતા ઊડીદળી ડુંગર ઉપર નીલગીરી નીચે લોકોના ટોળા એકઠા થયેલ જોવા મળ્યા હતા અને ત્યા ધુળીબેન કટારા ..૬૦ નાઓ સવારે દસેક વાગે મૃત હાલતમાં જોવા મળતા પરીવારજનો પર આફત આવી પડી હતી ઘટના અંગે મૃતકના દિકરા કાવાભાઈ સુપરભાઈ ખરાડીએ ફરિયાદ નોંધાવતા ઇસરી પોલીસે અકસ્માતે મોતનો ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:53 pm IST)