Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

નડિયાદમાં ગૌચર જમીનમાંથી માટી વેચવાનો કૌભાંડ ઝડપી હોવાની ફરિયાદના આધારે તપાસ શરૂ

નડિયાદ:પશુઓને ધાણ પૂરી પાડતી નરસંડાની ગૌચર જમીનોમાંથી માટી કાઢી તેને વેચી મારવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. ઉપરાંત સરકારી યોજનાઓના બહાને તળાવોને ઊંડા કરી વગર મંજૂરીએ માટી વેચવાના આ કૌભાંડ આચરતા હોવાની બૂમ ઉઠી છે. આ અંગે સત્વરે તપાસ કરાવી કાયદાકીય પગલાં ભરવાની માંગ પ્રબળ બની છે. નડિયાદ તાલુકાના નરસંડા ગામના સીમની ગૌચર જમીનોમાંથી માટી કાઢી તેને વેચી મારવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. ગામની સીમના સર્વે નં. ૧૦૨૪વાળી જમીન નેશનલ હાઇવે નં. ૮ ઉપર આવેલ છે. અને તેની બાજુમાં સર્વે નં. ૮૭૦વાળી જમીન આવેલી છે. આ ગામની ગૌચર જમીનો છે. 

(5:41 pm IST)