Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

નિવૃત્ત પ્રોફેસર્સને સેટ ઓફ કર્યા બાદ પેન્શન ચૂકવવા માટે હુકમ

આઠ સપ્તાહમાં લાભ ચૂકવી આપવા હુકમ : ગુજરાત હાઈકોર્ટે સીપીએફ માટે વિકલ્પને પસંદ કરનારા નિવૃત્ત પ્રોફેસરોને પેન્શન નહી આપવાનો નિર્ણય રદ કર્યો

અમદાવાદ,તા. ૨ : ગુજરાત હાઈકોર્ટે આજે વિવિધ કોલેજોમાંથી નિવૃત્ત થયેલા પ્રોફેસરો અને વહીવટી કર્મચારીઓને લઈ મોટી રાહત આપી છે. હાઈકોર્ટે એનપીએફ (કોન્ટ્રીબ્યૂટરી પ્રોવિડન્ટ ફંડ)નો ઓપ્શન પસંદ કરનારા નિવૃત્ત કર્મચારીઓને પેન્શન નહી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારનો નિર્ણય ભૂલભરેલો ગણાવી આઠ વીકમાં સંબંધિત પેન્શનર્સ સહિતના કર્મચારીઓને પેન્શનને લગતા લાભો આપવા હુકમ કર્યો છે. આ સિવાય હાઈકોર્ટે સીપીએફ લીધું હોય એવા પેન્શનર્સને સીપીએફની રકમ સેટ ઓફ કર્યા બાદ પેન્શન આપવા હુકમ કર્યો છે. આમ હાઇકોર્ટે નિવૃત્ત પ્રોફેસર્સને મોટી રાહત આપી છે. રાજયની વિવિધ કોલેજોમાંથી નિવૃત્ત થયેલા પ્રોફેસરો અને વહીવટી કર્મચારીઓને રાજય સરકાર દ્વારા પેન્શન આપવાનો એ ગ્રાઉન્ડ પર ઇન્કાર કરાયો હતો કે, તેઓએ એનપીએફનો ઓપ્શન પસંદ કર્યો છે. સરકારના આ નિર્ણયથી નારાજ નિવૃત્ત પ્રોફેસરો તરફથી ગુજરાત હાઇકોર્ટમાં જુદી જુદી રિટ અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને પેન્શન તેમનો કાયદેસરનો હક્ક અને અધિકાર હોઇ તેમ જ ઘડપણની જીવન ગુજારવાની મૂડી હોઇ તે ચૂકવવામાંથી સરકાર ઇન્કાર કરી શકે નહી તેવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. નિવૃત્ત પ્રોફેસર તરથી રાજય સરકારના તેમને પેન્શન નહી આપવાના નિર્ણયને ગેરકાયદે, અયોગ્ય અને રદબાતલ ઠરાવવા પણ અરજીમાં દાદ માંગવામાં આવી હતી. જેને લઇ હાઇકોર્ટે ઉપરોકત રાહત આપતો ચુકાદો જારી કર્યો હતો.

(8:21 pm IST)