Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

સાસરિયાના ત્રાસથી કંટાળી પ્રાતિજની પરિણીતાએ મોતને વ્હાલું કર્યું

સાબરકાંઠા:જિલ્લાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતી કલોલની પરિણીતાએ તેના પતિ સાસુ સસરા, જેઠ-જેઠાણી દિયરના ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા માતા દ્વારા આઠ વિરુધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ નોંધાઈ છે.
પ્રાંતિજ ખાતે રહેતા લીલાબેન હરગોવનભાઈ ચુનીલાલ લુહારીયા ઉ.વર્ષ-૫૦ મૃતક પોતાની દિકરીને તેના સાસરીયા પતિ તથા સાસુ સસરા તથા જેઠ-જેઠાણી દિયર દ્વારા ફરિયાદીની દીકરીને અવાર નવાર મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપી જાતે મરવા સુધીનું દુષ્પ્રેરણ કરતાં પરિણીતાએ તેના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
આરોપીઓ મહિલાના મૃતદેહને પીએમ ન કરવા દઈ પુરાવાનો નાશ કરી દેતા તેમજ ફરિયાદીને સામે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં ફરિયાદી દ્વારા પ્રાંતિજ પોલિસ સ્ટેશનમાં યોગેશભાઈ મોહનભાઈ લુહાર, ભાવેશભાઈ જેસીંગભાઈ લુહાર, સીતાબેન મોહનભાઈ લુહાર, કમલેશભાઈ મોહનભાઈ લુહાર, ભાવેશભાઈ મોહનભાઈ લુહાર, હરેશભાઈ ઠાકરીભાઈ લુહાર લુહારવાસ રેલ્વે સ્ટેશનરોડ પ્રાંતિજ નગીનભાઈ પુરુષોત્તમભાઈ લુહાર રહે. ડેમાઈ તા. બાયડ ભીખાભાઈ નરસિંહભાઈ લુહાર રહે. બીબીપુરા સામે ગુનો નોંધી રામોલ અમદાવાદ આગળની તપાસ હાથ ધરી છે

(5:57 pm IST)