Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ભરૂચ જુમ્માની નમાજ પઢવા એકઠા થયેલ મૌલવી સહીત આઠની ધરપકડ કરતી ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાં કોરોના વાયરસ (coVID19) ફેલાયેલ હોય અને ફેલાયેલ વાયરસનાં સંક્રમણને અટકાવવા સરકાર તરફથી “લોક ડાઉન” જાહેર થયેલ હોય જે અનુસંધાને ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ “લોક ડાઉન"નો કડક અમલ કરાવવા સુચના આપેલ તેમજ હાલમાં દીલ્હી ખાતે તબીલીગી જમાત દ્વારા થયેલ મરકઝ બાદ કોઇ પણ ધાર્મીક સ્થળે શ્રધાળુઓ એકત્ર ના થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા રાજ્ય સરકાર એ જણાવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે. પો.ઈન્સ. એ.કે. ભરવાડને માહીતી મળેલ કે, ભરૂચ શહેરના રતન તળાવ વિસ્તારમાં આવેલ ઝેન દાદા બાવાની મજીદમાં કેટલાક ઇસમો રાજ્ય સરકારના જાહેરનામાનો ભંગ કરી જુમાની નમાજ પઢવા મજીદમાં એકઠા થયેલ હોય જે બાતમીના આધારે રેઇડ કરતા મજીદમાં ઇસ્માઇલ ભાઇ હાફેઝીભાઇ પટેલ (રહે, પ્રમુખ સ્વામી કોમ્પલેક્ષ, સોનેરી મહેલ રોડ, ભરૂચ નાઓ મજીદના ટ્રસ્ટ્રી છે. ઇમરાન ઉમરજી પટેલ( રહે, રતન તળાવ,મેજીદ પાસે, ભરૂચ ) અસ્ફાક મહમંદ કુરેશી (રહે, ભઠીવાડવાડ , ચારરસ્તા, ભરૂચ ) વસીમ લાલુખાન ખાન (રહે, રીલીફ ટોકીઝ કંપાઉન્ડ, ભરૂચ મુળ રહે, જી.ઇ.બી ની પાછળ, બલીઠા, વલસાડ ) ઉદુશખાન ઉર્ફે મોહમંદ લાલુખાન પઠાણ (રહે, રીલીફ ટોકીઝ કંપાઉન્ડ, ભરૂચ મુળ રહે, જી.ઇ.બી ની પાછળ,બલીઠા,વલસાડ ) )ખાલીદ અસ્લમ શેખ (રહે, રતન તળાવ, ભરૂચ ) મોહમદ વસીમ મોહમદ સલીમ ખલીફા (રહે, સોનરી મહેલ,ભરૂચ) અફરાન મહબુલ શેખ (મૌલવી) (રહે,રતન તળાવ, ભરૂચ )નાઓ મળી આવેલ જે તમામ મળી આવતા આ ઇસમો વિરૂધ્ધ ભરૂચ શહેર “એ” ડીવી .પો.સ્ટે.માં ગુનો દાખલ કરી તમામ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

(9:09 pm IST)