Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના સરેઆમ ધજાગરા : બેંકોમાં લોકોના ટોળા ઉમટી પડ્યા

એસબીઆઇની હિરાવડી સ્થિત બ્રાન્ચમાં લોકોના ટોળેટોળા ઉમટયા

અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. અમદાવાદમાં એસબીઆઇની હિરાવડી સ્થિત બ્રાન્ચમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. મહત્વનું છે કે પીએમ મોદી વારંવાર દેશવાસીઓને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે. તેમ છતાં એસબીઆઇમાં લોકો ટોળે વળતા બેન્કની બેદરકારી છતી થઇ છે.

(12:41 pm IST)