Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લુણાવાડાના આંકલવા ગામમાં કાર્ડધારકોને પુરતો જથ્થો ન અપાતો હોવાથી હોબાળો

મહીસાગર જિલ્લામાં સસ્તા અનાજના સંચાલકો દ્વારા પુરતો જથ્થો ન અપાતા લોકોએ હોબાળો મચાવ્યો. સંતરામપુરના ભુગેડી ગામ અને લુણાવાડાના આંકલવા ગામના સંચાલક દ્વારા કાર્ડધારકોને પુરતો જથ્થો ન અપાતો હોવાથી હોબાળો થયો હતો. કેટલાય જાગૃત વ્યકિતઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો.બીજી તરફ ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગામમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા પુરતો જથ્થો ન અપાતો હોવાની રજુઆત કરવામાં આવી હતી.

(9:55 pm IST)