Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

વેકિસન સંપૂર્ણ સાલામત છે, દરેક અવશ્ય લ્યેઃ શમશેર સિંઘ

અમદાવાદ કલેકટર અને ડીડીઓ તથા અમદાવાદ અને સુરત પોલીસ કમશ્નિર સાથે હવે વડોદરાનાં જાગૃત પોલીસ કમિશ્નર દ્વારા પ્રેરક સંદેશો

રાજકોટ તા.૩: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પગલે પગલે ગુજરાતના સિનિયર લેવલનાં આઇપીએસ અને આઇએએસ અધિકારીઓ દ્વારા તંત્ર અને લોકોમાં વેકિસન વિષેની તમામ ગેરસમજ દૂર થાય તે માટે સામૂહિક રસી કરણ કાર્યક્રમ દ્વારા પ્રશંસનીય પ્રયાસ થયો હતો.                           લોકોમાં વેકિસન અંગે જે ખોટો ડર છે તે અમારા આવા પ્રયાસોથી દૂર થશે તેવી અમોને ફકત આશા નહિ પૂરી ખાત્રી છે તેમ અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચોધરી દૃઢતાપૂર્વક માની રહ્યા છે.       

વેકિસનના બીજા તબક્કાના કાર્યક્રમમા ઉત્સાહભેર ભાગ લેનારા સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર પણ એવું માને છે કે સ્વદેશી વેકિસનની શોધ દ્વારા ભારતે વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે.લોકોને સલામત રાખવા પોલીસ ફોજને પ્રથમ સુરક્ષિત કરવી અનિવાર્ય છે. પોલિસ સેનાપતિ દ્વારા આવી પહેલ પોલીસ અને લોકોમાં ખૂબ સારા સંદેશ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના સરહનીય પ્રયાસોને બળ મળશે.                                          

હર હંમેશ લોક જાગૃતિ કાર્યક્રમ માટે મોખરે રહેતા અમદાવાદ કલેકટર સંદીપ સાંગ્લે અને ડીડીઓ મહેશ બાબુ પણ ટીમ વર્ક દ્વારા અનેરૃં અભ્યાન આગળ ચલાવવા પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ અને જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચોધરી તથા ઝોન ૪ ના ડીસીપી રાજેશ ગઢીયા સાથે સામેલ થઈ અભૂતપૂર્વ ટીમ વર્ક નો સંદેશ આપી લોકોના મનમાં રહેલા પ્રશ્નોનો ઉતર આપી દીધા હતા.                       

આજ રીતે રૂડાના સીઈઓ ચેતનભાઈ ગણાત્રા સહિતના GAS કેડરના અફસરો પણ આ લોક જાગૃતિ પ્રવૃતિમાં જોડાઈ અને પોતાનું યોગદાન આપેલ.

(4:00 pm IST)