Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ડીંડોલીના નવાગામની યુવતિનો આપઘાતઃ હું ગમે ત્યારે મરી જઇશ અને આજે તેનો ધી અેન્ડ લાવી દીધો-તેમ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી

અમદાવાદઃ ડીંડોલીના નવાગામ ખાતે રહેતી વિદ્યાર્થીનીઅે આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે. આ યુવતિઅે સ્યુસાઇડ નોટમાં હું ગમે ત્યારે મરી જઇશ અને આજે તેનો ધી અેન્ડ લાવી દીધો છે-તેવું લખ્યું છે. પોલીસે આ પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ડિંડોલી, નવાગામ ખાતેની ગોકુલધામ સોસાયટીમાં રહેતી હેતલબેન મહેન્દ્રભાઈ પટેલ (ઉં..૨૫)એ બુધવારે સાંજે ઘરમાં વિષપાન કરી લીધું હતું, જેની જાણ પરિવારમાં થતા હેતલબેનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, તબીબી સારવાર કારગત નીવડી શકી નહોતી અને ગણતરીના કલાકોમાં તેણીનું મોત નીપજ્યું હતું. મૃતક હેતલબેન એમકોમનો એક્સટર્નલમાં અભ્યાસ કરી રહી હતી. તેણીના પિતા મહેન્દ્રભાઈ મૂળ પાટણ, ચાણસ્માના વતની છે અને એમ્બ્રોઈડરી ટુલ્સની દુકાન ધરાવે છે, તેમને સંતાનમાં બીજો એક પુત્ર છે.

પોલીસે જણાવ્યું હતું કે, હેતલબેનની આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી, પરંતુ તેણીએ લખેલી એક પાનાની સ્યુસાઈટ નોટ મળી આવી હ

તી. જેમાં 'મેં આ પગલું ના કોઈ દબાણથી, ના કોઈ ટેન્શનથી કે ના કોઈ દુઃખથી ભર્યું છે, પરંતુ મારી મરજીથી અને ખુશીથી દવા પીધી છે. મારા મરી જવા પાછળનું કોઈ કારણ નહોતું છતાં એજ કે મારે મરી જવું હતું. મેં કેટલાક દિવસોથી (છેલ્લા એક વર્ષથી) નક્કી કરી લીધું હતું કે, હું ગમે ત્યારે મરી જઈશ અને આજે તેનો ધી એન્ડ લાવી દીધો. આઈ લવ યુ મમ્મી પપ્પા.' મેં આ પગલું ભર્યું તે માટે મને માફ કરી દેજો એમ અંતિમ લીટીમાં લખ્યું છે. બનાવ અંગે ડિંડોલી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ તપાસ કરી રહ્યાં છે.

(5:35 pm IST)