Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

રાજ્યમાં ધુળેટી પર્વે ડૂબી જતા 10 લોકોના મોત

સુરતના તાપીમાં ડૂબવાથી 3ના મોત :પોઇચામાં 2 લોકો, નાળિયડના સલૂન ગામે ડૂબવાથી 2 અને ઠાસરામાં 3ના મોત

 

અમદાવાદ ;રાજ્યમાં ધુળેટી પર્વ દરમિયાન ડૂબી જવાથી 10 લોકોના મોત નિપજ્યા છે સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ 4 સ્થળોએ ડૂબવાથી મોતની ઘટનાઓ બની છે. જેમાં સુરતમાં તાપી નદીમાં ડુબવાથી 3 લોકોના મોત થયા છેજ્યારે પોઈચા પાસે ડુબવાથી 2 લોકોના મોત નિપજ્યા છે.જયારે નડિયાદમાં સલુન ગામે ડુબવાથી 2ના મોત થયા છે અને ઠાસરામાં ડુબી જવાથી 3ના મોત થયા છે

 

 . ઠાસરામાં ત્રણેય યુવકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. ધુળેટી રમ્યા બાદ યુવકો ન્હાવા ગયા હતા ત્યારે ઘટના બની હતી.

 

(9:18 am IST)