Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રાજ્યના યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન

૧૪ થી ૩૫ વર્ષ સુધીની યુવક યુવતીઓને પોતાનું કૌશલ્ય દેખાડવાની સુવર્ણ તક

ગાંધીનગર : રાજયના ૧૪ થી 3૩૫ વર્ષની વયમર્યાદાવાળા વિદ્યાર્થી, બિન-વિધ્યાર્થી યુવક / યુવતિઓને "આરોહણ-અવરોહણ સ્પર્ધા” માં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા “ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા” યોજવાનું નકકી કર્યું છે.

તદ અનુસાર રાજય સરકારના કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી,ગાંધીનગર દ્વારા રાજય સરકારના ખર્ચે ૧ (એક) દિવસની “ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા" જાન્યુઆરી-૨૦૨૧ માં ગીરનાર-જુનાગઢ ખાતે યોજવામાં આવનાર છે.

માત્ર એવા યુવક-યુવતીઓ કે જેઓ તા.૩૧/૧ર/ર૦ર૧ ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાના જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જુનાગઢને તા.૨૫/૧૨/ર૦ર૧ સુધીમાં મોકલી આપવાનું રહેશે.

ગુજરાતના ઇડર, પાવાગઢ, ચોટીલા તથા ઓસમ ખાતે આયોજીત સ્પર્ધામાં ભાગ વિજેતા સ્પર્ધકોએ ગીરનાર આરોહણ અવરોહણ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે નહી. આ સ્પર્ધામાં એક થી દસ કમે પસંદગી પામેલ સ્પર્ધકો ને સીધે સીધા રાષ્ટ્રીય કક્ષાના “ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં* મોકલવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જે-તે સ્થળ ખાતે સ્વ ખર્ચે આવવા-જવાનું રહેશે તથા સ્પર્ધા દરમ્યાન નિવાસ, ભોજન, તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. આ સ્પર્ધામાં પસંદગી પામનાર યુવક-યુવતીઓને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા પત્ર/ મોબાઇલ /E-Mail દ્વારા જાણ કરવામાં આવશે.

કોઇપણ બાબતની પૃચ્છા સબંધમાં સંબંધિત જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારી, જુનાગઢનો સંપર્ક કરવાનો રહેશે.

(8:47 pm IST)