Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભયભાઇને શ્રધ્ધાંજલિ અર્પવા નરહરિ અમીન રાજકોટમાં

રાજકોટ તા. ૨ : ગુજરાતના રાજ્યસભાના સભ્ય શ્રી નરહરિ અમીન અને શ્રી અભયભાઇ ભારદ્વાજ એક જ દિવસે રાજ્યસભામાં ચૂંટાયા હતા. શ્રી અમીન આજે સ્વ. ભારદ્વાજને શ્રધ્ધાંજલિ અર્પવા રાજકોટ આવી પહોંચેલ. તેમણે સ્વ. અભયભાઇને કુશળ એડવોકેટ અને સમર્પિત સમાજસેવક ગણાવી શ્રધ્ધાંજલિ અર્પી હતી.

(12:56 pm IST)