Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

નબીના જન્મદિવસે ઇદે મિલાદ: અમદાવાદમાં જુલુસ : 3 વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ

અમદાવાદ:  ઇદે મિલાદ ઝુલુસ જમાલપુર દરવાજાથી નીકળીને મીરઝાપુર કુરેશી ચોક ખાતે આવશે તેને લઇને બપોરે વાગ્યાથી જમાલપુર તથા મીરઝાપુર તરફ આવતા પાંચ રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે. શનિવારે બપોરે વાગ્યાથી જમાલપુર દરવાજાથી ઇદે મિલાદ ઝુલુસનો પ્રારંભ થશે તેમા ટ્રકો, ઉંટ ગાડી ઘોડા અખાડા સહિત હજારો મુસ્લિમો બિરાદરો ભાગ લેવાના છે. જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક શાખા દ્વારા ઝુલુસના રૃટ પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને જમાલપુર ચાર રસ્તાથી ખમાસા તરફ આવજા કરી શકાશે નહી અને રાયખડ ચાર રસ્તાથી ગોળ લીમડા સુધીનો રોડ પર વાહન વ્યવહાર બંધ રહેશે તથા પાનકોર નાકાથી લાલદરવાજા સુધીના રોડ અને ઘી કાંટા ચાર રસ્તાથી વિજળીઘરથી લાલદરવાજા તરફના રોડ તેમજ દિલ્હી ચકલાથી મિરઝાપુર રોડથી લકી હોટલથી વિજળીઘર તરફ આવ-જા કરી શકાશે નહી.

 

(6:02 pm IST)