Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

સુરતના પાંડેસરા નજીક નિષ્ઠુર જનેતાએ ચાર માસનાનવજાત ભૃણને ત્યજી દીધું:પોલીસે માતાની શોધખોળ હાથ ધરી

સુરત: શહેરના પાંડેસરા કર્મયોગી સોસાયટી નજીકથી નિષ્ઠુર જનેતા દ્વારા ચારેક માસના નવજાત ભૃણને ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. ઘટનાને પગલે એકત્ર થયેલા લોકોએ નવજાત ભૃણને ત્યજી દેનાર જનેતા પર ફિટકાર વરસાવ્યો હતો.

ગત રોજ સવારના સવા દસ વાગ્યાના અરસામાં રવિસીંગ વિજયસીંગ (રહે. હરિઓમ નગરબમરોલી-પાંડેસરા રોડ) પાંડેસરા કર્મયોગી સોસાયટી-નજીક આંગણવાડી પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે આંગણવાડીની બાજુમાં ખુલ્લા પ્લોટમાં નવજાત ભૃણ નજરે પડતા તુરંત જ પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરી હતી. જેથી પાંડેસરા પોલીસ દોડી આવી હતી. પોલીસે સફેદ કપડામાં લપેટીને ત્યજી દેવાયેલા નવજાત ભૃણનો કબજો લઇ નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. હોસ્પિટલના તબીબોના મત મુજબ નવજાત ભૃણ અંદાજે ચારેક માસનું હોવાનું જણાવ્યું હતું. પોલીસે નવજાત ભૃણને ત્યજી દેનાર નિષ્ઠુર માતાની શોધખોળ કરવા માટે સ્થાનિક વિસ્તારની હોસ્પિટલોમાં અને સોસાયટીઓમાં તપાસ હાથ ધરી છે. માસુમને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતા પર એકત્ર થયેલા લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

(5:25 pm IST)