Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

અમદાવાદમાં બનશે ખાદી મ્યુઝીયમ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું ખાતમુહૂર્ત

 

અમદાવાદઃ 150મી ગાંધી જયંતિના દિવસે ખાદી ઉધોગને પ્રોત્સાહન આપવા અમદાવાદમાં ખાદી મ્યુઝીયમ બનાવવાનું નક્કી કર્યું છે આજે મ્યુઝીયમનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ હતું.

  ખાદી મ્યુઝીયમના ખાતમુર્હતમાં સીએમ સહિત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શહેર મેયર બીજલ પટેલ હાજર રહ્યા હતા.

  ગાંધીના વિચારો હજી જીવંત છે તેવુ સીએમ રૂપાણીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું. તો પોતાના ભાષણમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતા. ભારતમાં આઝાદી બાદ કોંગ્રેસ દ્વારા માત્ર એક પરિવારને આગળ ધરવામાં આવ્યો છે તેવું કહી રૂપાણી દ્વારા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા

(12:42 am IST)