Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

દાહોદના અનોપપુરા ગમે મહિલાને સાપને ડંખ મારતા મોતને ભેટી

દાહોદ: જિલ્લાના સીંગવડ તાલુકાના અનોપપુરા ગામે મહિલાને સાપ કરડતાં તેનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.દાહોદ જિલ્લાના સીંગલાડા તાલુકાના અનોપપુરા ગામની ૪૦ વર્ષની સુકલીબેન સરતનભાઈ નામની મહિલા તા.૨૯મીના રોજ બપોરે જંગલમાં લાકડા લેવા ગઈ હતી.તે દરમિયાન જંગલમાંથી પસાર થતા સમયે તેણીના જમણા પગે સાપ કરડતાં તેની હાલત ગંભીર બનતાં તેણીને લીમખેડાના સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાઈ હતી જ્યાં તેણીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:34 pm IST)