Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જીટોડિયાની પરિણીતા પર દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

આણંદ:  શહેર  નજીક આવેલા જીટોડીયા ગામે રહેતી અને પ્રેમલગ્ન કરનાર પરિણીતા પર તેના પતિ, સસરા અને નણંદ દ્વારા દશ લાખની માંગણી કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારાતાં અંગે મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોગરી ગામે રહેતી સ્નેહલબેન લો કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે સાથે ભણતા કૃણાલભાઈ કાંતિભાઈ શુકલા સાથે પરિચય થતાં બન્ને પ્રેમમાં પડ્યા હતા અને બાદમાં અમદાવાદ ખાતે તારીખ --૧૮ના રોજ રજિસ્ટર લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પતિ, સસરા કાંતિભાઈ અને નણંદ હેમાંગીનીબેન દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. પતિ દ્વારા મકાન લેવા માટે દશ લાખની માંગણી કરી હતી પરંતુ તે માંગ ના સંતોષતા તેણીને તુ તો હલકી જાતિની છુ તેમ જણાવીને તેણી સાથેનો સંબંધ કાપી નાંખ્યો હતો. જેથી તેણીએ આણંદના મહિલા પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(4:34 pm IST)