Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

બંગલો પોતાના નામે ન કરતા પત્નીને છરીના ઘા માર્યા, પત્ની ફરાર

પત્નીએ પતિની આંખમાં મરચાની ભૂકી નાંખી દીધી

અમદાવાદ, તા.૨:  અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી મધુવન સોસયાટીમાં રવિવારે રાત્રે બનેલી દ્યટના ટોક ઓફ ધ ટાઉન બની છે. ૩૫ વર્ષની મહિલા લલિતા પટેલે પોતાના પતિ કનુ પટેલની આંખમાં મરચાની ભૂકી નાંખી, છરીના ઘા મારીને હત્યા કરી નાંખી છે. આ કૃત્યને અંજામ આપ્યા બાદ લલિતા પટેલ ફરાર થઇ ગઇ હતી. નરોડામાં પત્નીના નામે મકાન ખરીદવાની પતિએ ના પાડતા ઉશ્કેરાયેલી પત્નીએ આ દ્યટનાને અંજામ આપ્યો હતો. પત્ની રસોડામાંથી મરચાની ભૂકી અને છરી લઇને પતિ પાસે આવી હતી. આ અંગે ગુનો નોંધીને નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે.

કનુભાઇ અને પત્ની લલિતાબેન તેમના દિવ્યાંગ પુત્ર અને એક પુત્રી સાથે રહે છે. ગત રવિવારે સવારથી બંને વચ્ચે તકરાર શરૂ થઇ ગઇ હતી. આ દરમિયાન મહિલાએ મહિલા પોલીસ હેલ્પલાઇનમાં ફરિયાદ કરી હતી. છતાં આ અંગે કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. મકાન ખરીદવાના મામલે થયેલી તકરારમાં પતિ કનુભાઇએ સ્પષ્ટના પાડી દેતા પત્ની ગુસ્સે ભરાઈ હતી. કનુભાઇ કંઇ સમજે તે પહેલા લલિતાબેને મરચાની ભૂકી આંખમાં નાંખીને છરીના ઘા મારી દીધા હતા. નરોડા પોલીસ પીઆઇ એચ બી વાઘેલાએ કહ્યું કે, કનુભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખેસાડાયા છે.

મે ૨૦૧૭માં કનુભાઇના લગ્ન લલિતા રાજપૂત સાથે થયા હતા. લલિતાના આ બીજા લગ્ન હતા. લલિતા આઠ વર્ષની બાળકીની માતા છે. કનુભાઇ દલાલીનું કામ કરે છે જયારે લલિતા ટીચર છે. બંગલો પોતાના નામે ટ્રાંસફર કરવાના મામલે લલિતાએ પતિને ટાર્ગેટ કર્યો હતો. છરીના ત્રણ ઘા માર્યા બાદ ઘરમાંથી તે મકાન સંબંધી દસ્તાવેજ, બંગાલાના ડોકયુમેન્ટ અને કેટલીક જવેલરી લઇને નાસી ગઇ હતી.

ઘરે જમવાનું બનાવવા આવતા કામવાળા શારદાબેને આ ઝઘડા બાદ પાડોશીમાંથી લોકોને બૂમ પાડી હતી. આસપાસમાંથી આવેલા પાડોશીઓએ ભેગા થઇને કનુભાઇને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. હાલમાં તેની સ્થિતિ સારી છે. નરોડા પોલીસે જણાવ્યું હતું કે આ અંગે તપાસ ચાલુ છે.

(3:55 pm IST)