Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગાંધી જયંતિએ અંકલેશ્વર પાલિકા દ્વારા રેલી :સફાઈ અભિયાન હાથ ધરાયુ

રેલીમાં પાલિકાના હોદેદારો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા 150મી ગાંધીજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં શહેરનાં માર્ગો ઉપર નગર પાલિકા ખાતેથી રેલી યોજાયી હતી. આ રેલી માં શારદાભવન હોલ ખાતે સમાપ્ત થઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં પાલિકાનાં હોદ્દેદારો અને નગરજનો જોડાયા હતા. અંકલેશ્વર નગર પાલિકા દ્વારા માર્ગો ઉપર સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હત

 નગર પાલિકાથી નીકળેલી રેલીને પાલિકા પ્રમુખ દક્ષાબહેન શાહે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જે માર્ગો ઉપરથી પસાર થતાં જવાહર બાગની સામે આવેલા સિટિઝન પાર્ક ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

 આ પ્રસંગે ચીફઓફિસર પ્રશાંત પરીખ, ન.પા. પ્રમુખ દક્ષાબેન શાહ, ન.પા. ઉપપ્રમુખ નિલેશ પટેલ, ન.પા. કારોબારી ચેરમેન ચેતન ગોળવાળા, શાસકપક્ષ નેતા જનકભાઈ શાહ તેમજ સ્કૂલના વિદ્યર્થીઓ , નગરપાલિકા ના કર્મચારીઓ,સભ્યો,આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:10 pm IST)