Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

સુરતમાં જહાંગીરપુરામાં સંખ્યાબંધ સોસાયટીમાં ગંદુ પાણી આવતા લોકોમાં ફફડાટ: રહીશોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું

સુરત: મહાનગરપાલિકા દ્વારા લોકોને  અપાતા પાણી પુરવઠામાં જહાંગીરપુરા વિસ્તારમાં સંખ્યાબંધ સોસાયટીમાં ગંદુ અને ગંધાતું પાણી આવ્યું હતું. રવિવારે પાણી આપવાની શરૃઆત સાથે જ જહાંગીરપુરા ડભોલી બ્રિજથી દાંડી રોડ વચ્ચે આવેલી સંખ્યાબંધ સોસાયટીમા ગંધાતું પાણી આવ્યું હતું. કોઈ પ્રાણી મરી ગયું હોય તેવી વાસ આવતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.  લોકોએ પાણી ગંદુ અને ગંધાતું આવતું હોવાની ફરિયાદ કરવા માટે મ્યુનિ.ના અધિકારીનો સંપર્ક કર્યો હતો પરંતુ કોઈ પ્રત્યુતર મળ્યો ન હતો.
 

ગંદુ અને ગંધાતું પાણી હોવાથી લોકોએ રોગચાળાના ભયે પાણીનો ઉપયોગ કરવાનું બંધ કર્યું હતું. હાલ પાણીની કોઈ સમસ્યા ન હોવા છતાં પણ ગંદુ ગંધાતું પાણી કેમ આવ્યું તેની તપાસ કરવા માટે લોકોની રજુઆત છે.

(5:50 pm IST)