Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વડોદરાના માંજલપુર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.33 લાખના સોના ચાંદીના દાગીના ચોરી છનનન....

વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારની વિશ્વામિત્રી ટાઉનશિપના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો મકાનનું તાળુ તોડી તિજોરીમાંથી 1.33 લાખ ઉપરાંતની કિંમતના સોના ચાંદીના ઘરેણા ચોરી કરી ફરાર થઈ જવાનો બનાવ માંજલપુર પોલીસ મથકે નોંધાયો છે

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી વિશ્વામિત્રી ટાઉનશીપમાં ભાડે રહેતા પ્રદીપભાઈ પંચાલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે 31મી જુલાઈના રોજ તેમની માતા વતન ગયા હોય મકાનને તાળું મારી નજીકમાં રહેતી બહેનના ઘરે જમવા ગયા બાદ ત્યાં જ રોકાયા હતા. આ દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમમાં મૂકેલી તિજોરી માથી સોના-ચાંદીના દાગીના મળી કુલ 1,33,600ની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા.

(5:12 pm IST)