Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

સુરતમાં કોરોનાએ ફૂફાડો માર્યો : સવારે વધુ 120 કેસ નોંધાયા : મનપાના પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન નરેન્દ્ર ગાંધીનું નિધન

શહેરમાં 91 કેસ અને ગ્રામ્યમાં 29 કેસ નોંધાયા : કુલ કેસનો આંક 14045 થયો

સુરતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે સવારે સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન નરેન્દ્ર ગાંધીનું કોરોનામાં મોત નિપજ્યું છે. નરેન્દ્ર ગાંધી એક અઠવાડિયાથી મહાવીર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા. દરમિયાન આજે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

આ ઉપરાંત સુરતમાં આજે સવારે કોરોના વધુ ૧૨૦ કેસ નોધાયા છે. જેમાં શહેરમાં ૯૧ અને ગ્રામ્યમાં ૨૯ કેસ છે, સુરતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૪,૦૪૫ ઉપર પહોંચ્યો છે અને મરણાંક ૬૦૯ થયો છે. સુરતમાં જુલાઈ મહિનામાં ૬૦૧૧ પોઝિટિવ કેસ નોધાયા હતા અને ૨૩૯ દર્દીઓના મોત નિપજ્યા હતા.

(6:39 pm IST)