Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

વડોદરામાં આત્‍મવિવાહ કરનાર યુવતિ શમા બિંદુને મકાન માલિકે ઘર ખાલી કરાવતા આખરે શહેર છોડવુ પડયુ

શમા બિંદુના આત્‍મવિવાહ મંદિરે થવા બાબતે ભાજપ નેતા સુનિતા શુક્‍લે વિરોધ કર્યો હતોઃ પુજારી ન મળતા બ્‍લુટ્રુથ પર મંત્ર વગાડી જાતે ફેરા ફરી લીધા હતા

વડોદરાઃ વડોદરામાં 8 જુને આત્મવિવાહ કરનાર ચર્ચાસ્પદ યુવતિ શમા બિંદુને વડોદરામાં મકાન માલિકે મકાન ખાલી કરાવતા આખરે તેણીએ શહેર છોડવુ પડયુ છે. કોઇની પત્ની નહીં પણ દુલ્હન બનવા માંગતી યુવતિએ મંદિરમાં લગ્ન કરવાની જાહેરાત કરતા ભાજપના નેતા સુનિલા શુક્લે વિરોધ કરતા મંદિરમાં પુજારી મળતા આખરે બ્લુટ્રુથ સ્પીકર પર મંત્રો વગાડી લગ્નના ફેરા ફરી લીધા હતા.

દેશમાં પ્રથમ આત્મવિવાહ કરનારી યુવતી શમા બિંદુને આખરે પોતાનું ઘર અને શહેર બંને છોડવુ પડ્યુ છે. આત્મ વિવાહ કરવાના નિર્ણયની જાહેરાત કરવાથી શમા બિંદુ વિરોધનો સામનો કરી રહી હતી. ગત મહિને તેણે બહેનપણીઓની હાજરીમાં આત્મવિવાહ કર્યા હતા. ત્યારે હવે તેને પોતાનુ ભાડાનુ ઘર ખાલી પડવુ છે. સાથે તેણે નોકરી પણ છોડી અને વડોદરા શહેરને પણ અલવિદા કર્યુ છે.

ગત મહિને વડોદરાની શમા બિંદુએ આત્મવિવાહની જાહેરાત કરી હતી. જેના બાદ તેનો વિરોધ થયો હતો. તેણે પહેલા મંદિરમાં આત્મવિવાહની જાહેરાત કરી હતી. પરંતુ વિવાદ થયા બાદ તેણે ઘરમા લોકોની હાજરીમાં આત્મવિવાહ કરીને લોકોને ચોંકાવ્યા હતા. ત્યારે હવે શમા બિંદુ સુભાનપુરા વિસ્તારમાં જે સોસાયટીમાં રહેતી હતી ત્યાંના રહીશો અને મકાન માલિકે તેને ભાડાનુ મકાન ખાલી કરવા દબાણ કર્યુ હતું. જેથી તેણે ઘર ખાલી કર્યુ છે.

મકાન ખાલી કરાવવા કરતા શમા બિંદુએ જાતે મકાન ખાલી કર્યુ હતું. જોકે, તેણે વડોદરાની નોકરી પણ સ્વેચ્છાએ છોડી દીધી છે. તથા તેણે વડોદરા શહેરને પણ અલવિદા કર્યુ છે. વિશે શમાએ કહ્યુ કે, હાલ હુ ક્યા જઉ છું અને કયા શહેરમાં રહીશ તેની જાહેરાત નહિ કરું. જોકે, હું પાછી આવીશ. આવીને બીજી નોકરી શોધીશ. હાલ એક મહિના માટે વડોદરાને છોડું છું.

પોતાના આત્મવિવાહના નિર્ણય બાદ શમા બિંદુએ કહ્યુ કે, મેં મારી ખુશીથી આત્મવિવાહ કર્યાં છે. હુ ખુશ છું, અને મારા નિર્ણય પર મક્કમ છું. લોકો મારા નિર્ણયને બિરદાવી રહ્યાં છે. તેઓ મને શુભેચ્છા પણ પાઠવે છે. એવા પણ લોકો છે જેઓએ આત્મવિવાહ કરવા માટે મારો સંપર્ક કર્યો છે. પરંતુ મારા મતે સજાતીય લગ્ન કરવા ગેરકાયદેસર નથી.

રીતે કર્યા હતા આત્મવિવાહ

ક્ષમા બિંદુએ 8 જૂન, 2022 ના રોજ સાંજે પોતાના ઘરે આત્મવિવાહ કરી લીધા હતા. ક્ષમાએ અગાઉ 11 જૂને લગ્ન કરવાની જાહેરાત કરી હતી. ક્ષમાના આત્મવિવાહને લઈ ભાજપ નેતા સુનિતા શુક્લએ વિરોધ કર્યો હતો. મંદિરમાં આત્મવિવાહ કરવાનો વિરોધ થતાં તેમણે ઘરે લગ્ન કર્યા હતા. ક્ષમાએ 8 થી 10 મિત્રોની હાજરીમાં આત્મવિવાહ કર્યા હતા. પૂજારી મળતાં બ્લુ ટૂથ પર મંત્ર વગાડી પોતાને જાતે ફેરા ફરી લીધા હતા. આમ, ક્ષમાએ વિરોધના ડરે ગુપ્ત રીતે આત્મવિવાહ કર્યા છે.

(5:42 pm IST)