Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ગુજરાતના ખેડૂતો માટે મહત્‍વનો નિર્ણયઃ કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)નું વાવેતર કરતા ખેડૂતોને કુલ રૂ. ૧૦૦૦ લાખ તેમજ કોમ્‍પ્રીહેન્‍સીવ હોર્ટીકલ્‍ચર ડેવલપમેન્‍ટ અંતર્ગત ખેડૂતોને રૂ.૬૫૦ લાખની આર્થિક સહાય કરાશેઃ કૃષિ મંત્રી

રાજકોટ, તા.૨: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે  મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતળત્‍વવાળી ગુજરાત સરકારે રાજ્‍યમાં કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્‍સાહન આપવા માટે કુલ રૂ.૧૦૦૦ લાખની આર્થિક સહાયનો ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે તેમ કળષિ મંત્રી  રાઘવજીભાઇ પટેલે જણાવ્‍યું હતું.

કળષિ મંત્રીએ વિગતો આપતા કહ્યું હતું કે સામાન્‍ય જાતિના ખેડૂતોને હેક્‍ટર દીઠ મહત્તમ રૂ. ૩,૦૦,૦૦૦/તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતોને હેકટરદીઠ મહત્તમ રૂ ૪,૫૦,૦૦૦/ની સહાય માટે કુલ રૂ ૧૦૦૦  લાખની સહાય જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કોમ્‍પ્રીહેન્‍સીવ હોર્ટીકલ્‍ચર ડેવલપમેન્‍ટ અંતર્ગત ખેડૂતોને બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના સાધનોમાં સહાય, બાગાયતી યાંત્રીકરણ માટે, બાગાયતી માળખાકીય સુવિધા ઉભા કરવા, વર્મી કંમ્‍પોસ્‍ટ યુનિટ, પ્‍લાસ્‍ટિક આવરણ જેવા વિવિધ ઘટકોમા આર્થિક સહાય માટે વ્‍યક્‍તિગત ખેડૂત, FPO, FPC, રજીસ્‍ટર્ડ ટ્રસ્‍ટને મહત્તમ કુલ રૂ ૫૦ લાખની સહાય માટે કુલ રૂ.૬૫૦ લાખનો કાર્યક્રમ શરૂ કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો  છે. આ પ્રોત્‍સાહન સહાય માટે રાજ્‍ય સરકાર દ્વારા બંને કાર્યક્રમો માટે કુલ રૂ. ૧૬૫૦ લાખની માતબર રકમ ફાળવવામાં આવી છે તેમ કળષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે ઉમેર્યું હતું.

કળષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે કમલમ ફળ(ડ્રેગનફ્રૂટ)માં મહત્‍વના વિટામિન્‍સ અને મીનરલ્‍સ સારી માત્રામાં રહેલા હોઈ વાવેતર માટે સહાયના કાર્યક્રમથી આ પાક હેઠળનો વિસ્‍તાર ઝડપથી વધારી શકાય તેમ છે, તેમજ પરદેશમાંથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય તેમ છે.  ગુજરાતના તાત-ખેડૂતને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી નાણાકીય સહાય મળે તો ગુજરાતનો ખેડૂત અન્‍ય દેશોમાં નિકાસ દ્વારા વિદેશી હુંડીયામણ કમાવવાની વિપુલ તકો મળશે.  કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્‍સાહન તરીકે આપવામાં આવનાર સહાય સીધીજ ખેડૂતના ખાતામાં DBTથી ચૂકવવામાં આવશે.

કળષિ મંત્રીશ્રીએ આ નિર્ણય બદલ મુખ્‍યમંત્રીશ્રી અને નાણા મંત્રીશ્રીનો સમગ્ર રાજ્‍યના ખેડૂતો વતી આભાર પણ માન્‍યો હતો.

(12:03 pm IST)