Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ગૃહમંત્રી બન્યા બાદ અમિતભાઇ કાલે પ્રથમ વખત ગુજરાતમાં

લોકાર્પણ-લોકઅભિવાદનઃ ગુરૂવારે રથયાત્રાની આરતીમાં જોડાશે

અમદાવાદ તા. રઃ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવેલ કે, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહ મંત્રી અમિતભાઇ શાહએ ગુજરાત આવી રહ્યા છે. ગૃહમંત્રી બન્યા બાદ તેમની પ્રથમ મુલાકાત છે ત્યારે ગાંધીનગર લોકસભાની જનતા, અમદાવાદ શહેરની જનતા અને ગુજરાતની જનતા વતી અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.

કાલે ૩ જુલાઇએ એરપોર્ટ પર ર વાગ્યે તેમનું સ્વાગત કરવામાં આવશે. ૪ વાગ્યે ઇન્કમટેકસ ખાતે બ્રિઝનું લોકાર્પણ કરવામાં આવશે. ૪-૩૦ કલાકે દિનેશ હોલ ખાતે રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ કામોનું લોકાર્પણ રાખેલ છે. ડી. કે. પટેલ હો અને ગાંધીનગર લોકસભાના જુદા જુદા ગામોની તલાટી ઓફિસના લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર લોકસભાના બુથથી લઇને મુખ્ય કાર્યકરો સાથેનું અભિવાદન કાર્યક્રમ જીએમડીસી હોલ ખાતે પ-૩૦ કલાકે યોજવામાં આવ્યો છે. ૪ જુલાઇએ ભગવાન જગન્નાથની રથયાત્રાની મંગળા આરતીમાં સામેલ થશે. ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.

(1:25 pm IST)