Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

પલસાણાના તાંતીથૈયા ગામમાં રિક્ષાચાલકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

ત્રણ ભાઈઓના પરિવાર સાથે રહેતા સંક્રમિતના ઘરમાં બે વર્ષની બાળકી અને 7 સભ્યો છે

 

બારડોલી : સુરતના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામ ખાતે રેલવે ફાટકની બાજુમાં આવેલ ગજાનંદ કોમ્પલેક્ષમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા સોનુ દુર્ગા પ્રસાદ (28) ની તબિયત લથડતા પ્રથમ કડોદરા ખાતે મેડીકલ પર જઈ દવા લીધી હતી જે બાદ તબિયત નહિ સુધરતા અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા સોનુ પ્રસાદ સુરત ખાતે સિવિલ હોસ્પિટલમાં જઈ કોરોના ટેસ્ટ માટેના સેમ્પલ આપ્યા જતા જેનો રિપોર્ટ  પોઝિટિવ આવતા ગંગાધરા આરોગ્ય કેન્દ્રની ટીમે તાંતીથૈયા જઈ દુર્ગા પ્રસાદને એમ્બ્યુલન્સ મારફતે મહુવા ખાતેની માલિબા કોલેજમાં બનાવેલ કોવિદ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો દુર્ગા પ્રસાદના તેના ત્રણ ભાઈના પરિવાર સાથે રહેતો હતો તેના ઘરમાં એક બે વર્ષની બાળકી સહિત 7 સભ્યો નો પરિવાર સાથે રહેતો હતો

(12:10 am IST)