Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલના માતુશ્રીનું નિધન : શોકાંજલિ માટે રૂબરૂ નહીં આવવા વિનંતી કરાઈ

કોરોનાની પરિસ્થિતિ હોવાથી સદગદનુ બેસણુ રાખેલ નથી: શક્તિસિંહજી ગોહિલ

અમદાવાદ : કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલના માતુશ્રી રાજેન્દ્રકુંવરબાનુ આજે ભાવનગર જિલ્લાના લીમડા ગામ ખાતે અવસાન થયેલ છે.

 શક્તિસિંહ ગોહિલે જણાવેલ છે કે મારા જીવનમા કદી નહીં પુરી શકાય તેવી ખોટ પડી છે . અમારા શુભચિંતકોની સંવેદના અમારા પરિવારની સાથે જ હોય તેનો મને પૂરો વિશ્વાસ છે. હાલ જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે શોકાંજલી માટે રૂબરૂ નહીં પધારવા વિનંતી છે. હાલની કોરોનાની પરિસ્થિતિ હોવાથી સદગદનુ બેસણુ રાખેલ નથી જેની નમ્ર જાણ લેવા વિનંતી

(8:14 pm IST)