Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમદાવાદના વાડજમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 51 હજારની મતાની ઉઠાંતરી કરી

અમદાવાદ:સેટેલાઈટ માં રહેતા અર્પણ લાડા ના સાસુ સુમિત્રાબેન કે શાહ જુના વાડજમાં નવરૂપ સોસાયટીમાં રહે છે. બીમાર હોવાથી છેલ્લા નવ મહિનાથી તેમની મુંબઈમાં રહેતી દીકરી સાથે રહે છે.

આથી તેમનું વાડજનું ઘર બંધ હતું. તેમના ઘરનું તાળું તોડી કોઈ ગઠીયો અંદરથી ટીવી સોના-ચાંદીના દાગીના મળીને રૂપિયા 51,500 ની માલમતા ચોરી ગયો હતો. અર્પણ ભાઈએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:31 pm IST)