Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સંભવિત નિસર્ગ વાવાઝોડાને પગલે કાંઠા વિસ્તારના મોરચે સજ્જ : એનડીઆરએફની ટીમ વલસાડ પહોંચી

કાંઠા વિસ્તારના 35 ગામોને એલર્ટ કરાયા : ગામોમાં સર્વે પણ કરશે

વલસાડ : અરબી સમુદ્ર માં સક્રિય થયેલું વાવાઝોડું દક્ષિણ ગુજરાત વલસાડ ને હિટ કરે એવી શક્યતાઓ ને લઈ ને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે કાંઠા વિસ્તારના 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો વાવાઝોડાની અસર ને પોહચી વળવા માટે અને લોકોને જાગ્રુત  કરવા વલસાડ ખાતે એનડીઆરએફ ની એક ટિમ વલસાડ આવી પોહચી છે .જે આગામી સમય માં વલસાડ જિલ્લાના દરિયા કિનારે કાંઠા વિસ્તારના ગામોમાં સર્વે કરશે વળી દરેક મોરચે લોકોને મદદરૂપ થવા કામગીરી કરશે

(10:23 am IST)