Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

જાહેરાત બાદ જમાલપુર બ્રિજ ના ખોલાતા લોકોને હાલાકી

વાહનોની લાંબી લાઇનો લાગી : સાબરમતી ઉપરના બ્રિજ ખોલવા માટેની જાહેરાત છતાં સંકલનના અભાવે આજે લોકો ખૂબ પરેશાન ઉઠાવી પડી

અમદાવાદ, તા. : ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી અનલોક- લાગું થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં પણ ગઈ કાલે સાબરમતી નદી પરના તમામ બ્રિજ ખોલી નાંખવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, કોર્પોરેશનની જાહેરાત છતાં પાલડીથી જમાલપુરનો બ્રિજ ના ખોલાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો ભેગા થઈ ગયા હતા. ટ્રાફિક પોલીસને બોલાવવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. બ્રિજ ખુલતા લોકોને ભારે હાલાકી સહન કરવી પડી હતી.

             કોર્પોરેશન દ્વારા સાબરમતી પરના બ્રિજ ખોલી નાંખવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ સંકલનના અભાવે આજે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. લોકોએ જણાવ્યું હતું કે, તેમણે માધ્યમોમાં સમાચાર જોઈને બ્રિજ ખુલ્લી ગયો હોવાનું માની અહીં પહોંચી ગયા હતા. જો કે, બ્રિજ આગળ બેરિકેટ હોવાથી તેઓ અટવાઇ પડ્યા હતાં. પોલીસને ઉપરથી બ્રિજ ખુલ્લો મુકવાની સૂચના મળી હોવાથી હજુ સુધી બ્રિજ ખોલવામાં આવ્યો નથી. જેને કારણે લાંબા સમય સુધી લોકો અહીં અટવાઈ પડ્યા હતાં.

(10:10 pm IST)