Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

૧૦મીએ અમદાવાદમાં બપોરે ૧૨ વાગ્યે સર્જાશે અભૂતપૂર્વ ખગોળીય ઘટનાઃ ૬૦ સેકન્ડ માટે પડછાયો થશે ગાયબ !

અમદાવાદઃ આગામી 10મી જૂનના રોજ અમદાવાદીઓ અભૂતપૂર્વ ખગોળિય ઘટનાના સાક્ષી બનશે જ્યારે અમદાવાદ સહિતના ગુજરાતના કેટલાક સ્થળોએથી પડછાયો ગાયબ થઈ જશે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે બપોરના 12 વાગ્યે સૂર્ય માથાની એકદમ ઉપર હોય છે. પરંતુ પૃથ્વી સૂર્યની ફરતે ફરતી હોવાના કારણે કર્કવૃત અને મકરવૃત ઉપર વર્ષમાં બે વખત જૂનમાં અને ડિસેમ્બરમાં એવી સ્થિતી સર્જાતી હોય છે કે જેથી પડછાયો 60 સેકન્ડ માટે ગાયબ થઈ જાય છે.

અમદાવાદ સ્થિત સાયન્સ કમ્યુનિકેટર ધનંજય રાવલે કહ્યું કે ગુજરાતના મોટા શહેરોમાં આ ઘટના જૂન અને જુલાઈમાં બનતી હોય છે જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ક્ષેત્રોમાં મે મહિનાના અંતમાં આ ઘટનાનો અનુભવ થાય છે. ધરતી પોતાની ધરી તરફ 23.5 ડિગ્રી નમેલી છે. જેથી વર્ષના જુદા જુદા સમયે સૂર્ય ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે. વધુમાં ધનંજય રાવલે કહ્યું કે આપણા આકાશ પર સૂર્ય સીધી રેખા પર નથી આવતો જેથી ભાગ્યે જ આવી ઘટનાઓ જોવા મળતી હોય છે.

વધુમાં ધનંજય રાવલે કહ્યું કે, “અમુક લોકો ભાગ્યે જ જાણતા હશે છે કે આવી અભૂતપૂર્વ ખગોળિય ઘટનાનું નિરીક્ષણ કરી પૃથ્વીની ધરીનો ઝુકાવ 250BCE તરફ હોય ત્યારે ઝીરો શેડોની ઘટનાની મદદથી પ્રાચિન ઈજિપ્તવાસીઓ પૃથ્વીના વ્યાસની ગણતરી કરતા હોય છે.પડછાયા વિહિન દિવસની ખગોળિય ઘટના નીહાળવા ખગોળપ્રેમીઓ ભારે આતુર છે.

ચોખ્ખો ગ્લાસ લઈને છત કે મેદાન જેવી ખુલ્લી જગ્યાએ જાઓ અને કોઈ વસ્તુ જમીન પર મૂકીને તેનું નિરીક્ષણ કરો. કહેવાય છે કે સૂર્ય એકદમ ઉપર હોય ત્યારે પડછાયો 3ડીમાંથી 2ડીમાં ફેરવાય જાય છે. થોડા સમય માટે પડછાયો એકદમ સાંકડો થતો જશે. 60 સેકન્ડ સુધી પડછાયો ગાયબ રહેશે અને ફરી જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં આવી જશે.

(6:10 pm IST)