Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ગાંધીનગર નજીક રાયસણમાં શ્રમજીવી પરિવારે ઝેર ઘોળતા પત્નીનું મોત: પુત્રને ગંભીર ઇજા

ગાંધીનગર: શહેર નજીક આવેલા રાયસણમાં રહેતાં શ્રમજીવી પરિવારે પારિવારીક માથાકુટમાં ગઈકાલે રાત્રે જમવામાં ઝેર ભેળવી દીધું હતું. વહેલી સવારે પતિ, પત્નિ અને બે સંતાનોની તબિયત લથડતાં સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી દંપતિનું મોત નીપજયું હતું. જ્યારે તેમના પુત્રને ગંભીર હાલતમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે દીકરીની તબિયત સુધારા ઉપર છે. આ મામલે ઈન્ફોસીટી પોલીસને જાણ થતાં સિવિલ પહોંચી તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. પરિવારમાંથી કોણે જમવામાં ઝેર ભેળવ્યું તે જાણવા માટે મથામણ થઈ રહી છે ત્યારે હજુ સુધી કોઈ સચોટ કડી પોલીસને મળી નથી.    આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા રાયસણમાં નવા બની રહેલા મોલની બાજુમાં છાપરુ બાંધીને રહેતાં મુળાજી રામાજી ઠાકોરના પરિવારમાં પતિ રાધાબેન, રપ વર્ષીય પુત્ર મોહન અને ૧૭ વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે. ગઈકાલે રાત્રે આ પરિવારે સાથે ભોજન લીધા બાદ સુઈ ગયા હતા.
 

(4:22 pm IST)