Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સુરતથી નવસારી બાળકોની વિહાર પદયાત્રા શિબિર પુર્ર્ણ

 સુરતઃ શ્રી અરીહંત વાસુપુજ્ય જૈન શ્વે.મુ.પુ.ટ્રસ્ટ ટીમલીયાડ, નાનપુરા, સુરત આયોજીત સુરત-નવસારી સુરતની ૧૦૦ બાળકો અને કાર્યકર્તાઓની અષ્ટદિવસીય વિહાર પદયાત્રા શિબિર  વૈરાગ્ય વારિધી પ.પૂ. આ. ભગવંત શ્રી કુલચંદ્રસુરીશ્વરજી મ.સા.ના સુશિષ્ય મધુર પ્રવચનકાર પ.પૂ. આચાર્યશ્રી રશ્મિરાજસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રા અને બાળપ્રેમી પૂજય મુનીરાજો શ્રી દક્ષેશરત્નજી મ. શ્રી સૌમ્યપ્રભવિજયમ, શ્રી આત્માર્થરત્નજીમ,  શ્રી કલ્યાણવિજયજીમ., તથા વિનયપ્રભવિજય મ.સા.નાં કુશળ માગદર્શન અને પ્રેરણા સાથે સાનંદ સંપન્ન થયેલ સુરતથી ઉધના, સચીન, મરોલી, નવસારી, મરોલી, નાહરધામ સચીનશ્રી બુધ્ધિસાગરસુરી આરાધના ભવન, પાંડેસરા થઇને સુરત પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સમાપન અને ઇનામી મેળાવડો યોજાયો હતો. આ બાળ પદવીઓનુ ગામેગામ જૈન  સંઘ તથા જૈન તથા જૈન- જૈનેતરોની માનવ મેદનીએ ભવય સ્વાગત કર્યું હતુ. સચીન મુકામે કલેકટરશ્રીએ બાળકોને શુભેચ્છાઓ આપી હતી. મીઠી પ્રસાદીના ૫૦૦૦ પેકેટનું વિતરણ ગામે ગામ બાળ પદયાત્રી દ્વારા ભુલકાઓને વિતરણ કરવામાં આવ્યું હતું . (૪૦.૬)

(2:34 pm IST)