Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

અંત્યોદય-અગ્રતા ધરાવતા પરિવારોના ૬૮.૮૦ લાખ કાર્ડધારકોને સતત બીજીવાર મે મહિનામાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

આશરે ૩ કરોડ ૩૬ લાખ જનસંખ્યાને મળશે લાભ : ૧૭મી મેથી અનાજ વિતરણનો પ્રારંભ ઘઉં, ચોખા અને ચણાદાળનું વિતરણ થશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ કોવીડ – ૧૯ના સંક્મણની સ્થિતિમાં લોકડાઉન લંબાવવાના પગલે રાજ્યના અંત્યોદય પરિવારોને અનાજ મેળવવામાં કોઇ તકલીફ ન પડે  તે માટે બે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. વિજયભાઈએ જાહેર કર્યું છે કે, રાજ્યમાં એન.એફ.એસ.એ (રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા) અંતર્ગત અનાજ મેળવતા ૬૫.૪૦ કાર્ડધારક પરિવારો અને ગરીબી રેખા નીચે નિર્વાહ કરતા ૩.૪૦ લાખ નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ કાર્ડધારકો એમ ૬૮.૮૦ લાખ રેશનકાર્ડ ધારકોની ૩ કરોડ ૩૬ લાખ પરિવારજનો-જનસંખ્યાને મે મહિનામાં પણ વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, ચણા તેમજ મીઠાનું વિતરણ કરવા માં આવશે
આગામી ૧૭ મી મે થી રાજ્યની ૧૭ હજાર જેટલી સરકારમાન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે મુખ્યમંત્રીએ આ અગાઉ એપ્રિલ મહિનામાં પણ આવા રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે  ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાનું વિતરણ કરવાની સંવેદના દર્શાવી હતી
  મુખ્યમંત્રી દ્વારા અન્ય એક મહત્વ પૂર્ણ નિર્ણય લઈને આ ૬૮.૮૦ લાખ કાર્ડધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મે મહિના માટે વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા અને પરિવાર દિઠ ૧ કિલો ચણાનું વિતરણ પણ વિનામૂલ્યે કરવાનો ઉદાત અભિગમ દર્શાવ્યો છે  વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજ્યના ૬૦મા સ્થાપના દિવસે ૬૧ લાખ જેટલા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો – એ.પી.એલ.-૧ કાર્ડધારકોના અંદાજે અઢી કરોડ લોકોને પરિવાર દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડનું વિનામૂલ્યે વિતરણ કરવાની જાહેરાત કરી હતી અને તારીખ ૭મી મેથી તેનો પ્રારંભ થવાનો છે
  હવે રાજ્યના એન.એફ.એસ.એ. અને બી.પી.એલ.  નોન એન એફ એસ એ એમ ૬૮.૮૦ લાખ કાર્ડધારકોના અંદાજે ૩ કરોડ ૩૬ લાખ લોકોને બીજીવાર વિનામૂલ્યે અનાજ વિતરણનો તારીખ ૧૭મી મે થી લાભ આપવાની તેમણે આગવી સંવેદનશીલતા દર્શાવી છે.  મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના  અભિગમને પગલે રાજ્યમાં કુલ જનસંખ્યાના ૯૨ ટકાને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે  જે અનુસાર રૂપિયા ૯૮૧ કરોડના બજાર મૂલ્યનું ૪૨.૪૮ કવીન્ટલ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે
આ અનાજ વિતરણમાં ૨૮.૪૪ લાખ કવીન્ટલ ઘઉં – ૧૧.૪૬ લાખ કવીન્ટલ ચોખા-૧.૩૯ લાખ કવીન્ટલ ખાંડ-૧.૧૯ લાખ કવીન્ટલ તુવેર-ચણા દાળનો સમાવેશ થાય છે

(9:39 pm IST)