Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

બનાસકાંઠા નજીક ખેડતૂ રીછનો શિકાર બન્યો: જીવલેણ હુમલો થતા લોકોમાં ભયની લાગણી

બનાસકાંઠા:માં આ વર્ષે અપૂરતા વરસાદ અને ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે જંગલી પ્રાણીઓ જેસોર અભ્યારણ્યમાંથી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો તરફ મીટ માંડી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. થોડા દિવસ અગાઉ પાલનપુર તાલુકાના કુશકલ ગામમાં પાણીની શોધમાં આવી પહોંચ્યું હતું ત્યાર ેવન વિભાગે રેસ્ક્યુ કરી ગણતરીના જ કલાકોમાં પકડી પાડયું હતું ત્યારે આજે ફરીથી અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે એક ખેડૂત ઉપર માનવભક્ષી રીંછે હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટનાને લઈ આસપાસના વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

(5:25 pm IST)