Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું કામ શરુ :સાબરમતી પર બ્રિજ બનાવવાનો પ્રારંભ : શાહપુરથી કાલુપુર અંડરગ્રાઉન્ડ રુટ : 30 ફુટ ઉંડે સુધી બ્રિજના પિલર નખાશે

 

અમદાવાદ: સાબરમતી રિવરફ્રંટ પર બ્રિજ બનાવવાના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું કામ શરુ થયું છે રાયફલ છેલ્લા થોડા દિવસોથી વિશાળ ક્રેનો અને જંગી મશીનો અહીં ખડકી દેવામાં આવ્યો છે, અને કામ પૂરપાટ  શરુ છે. રાઈફલ ક્લબ નજીકથી મેટ્રો ટ્રેન શાહપુર તરફ અંડરગ્રાઉન્ડ કોરિડોરમાં એન્ટ્રી કરશે અને છેક કાલુપુર સુધી અંડરગ્રાઉન્ડ રુટ પર ચાલશે.

 શાહપુરથી કાલુપુર વચ્ચેની ટનલ બનાવવાનું કામ કરરાશે. મેટ્રોની કામગીરી સાથે સંકળાયેલા સીનિયર અધિકારીના જણાવ્યા મુજબ  ડેડલાઈન નજીક આવી રહી છે ત્યારે કામ ઝડપથી પૂરું કરવાનું ખૂબ દબાણ છે, પરંતુ અમે સ્ટ્રક્ચરલ સેફ્ટી સાથે કોઈ સમાધાન નહીં કરીએ.

  મેટ્રો રેલ પ્રોજેક્ટના પહેલા ભાગમાં 4.38 કિલોમીટર લાંબી ટનલ બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જે બે સ્ટેશનોને કનેક્ટ કરશે. સાબરમતી નદી પર બ્રીજ અને શાહપુરથી કાલુપુર વચ્ચેની ટનલ બનાવવાનું કામ સાથે શરુ થશે.

   વસ્ત્રાલથી થલતેજ સુધીના ઈસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોરમાં શાહપુરથી થલતેજ સુધીના એલિવેટેડ કોરીડોર પર હાલ ધમધોકાર કામ ચાલી રહ્યું છે. કોરિડોરનો કેટલોક ભાગ સાબરમતી નદીના પટમાંથી પણ પસાર થઈ રહ્યો છે. જેમાં 800 મીટર લાંબા નદીના પટમાં બ્રિજ બનાવાઈ રહ્યો છે. નદીમાં કુલ સાત પિલર ઉભા કરાશે, અને 30 ફુટ ઉંડે સુધી પિલર નાખવામાં આવશે.

(1:41 am IST)