Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

વડોદરામાં સાસરિયાએ પુત્રવધુની બે જોડિયા બાળકો સાથે હત્યા કરી હોવાની પિયરિયાની ફરિયાદ

વડોદરા:ગૃહક્લેશના કેસમાં સમાધાન કરીને પુત્રવધુ અને બે જોડિયા પૈાત્રોને પોતાની સાથે લઈ ગયેલા સાસરિયાંએ પુત્રવધુ અને પૈાત્રોની હત્યા કરી હોવાની પુત્રવધુના પિતાએ રાવપુરા પોલીસ મથકમાં શંકા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પરિણીતા ગર્ભાવસ્થામાં નારી સંરક્ષણ ગૃહમાં રહેતેી હતી ઃ કોર્ટ મુદતમાં આવેલા સાસરિયા એસએસજીમાંથી પુત્રવધુ અને પૈાત્રેને લઈ ગયા બાદ તમામ ગુમ છોટાઉદેપુરાના ઉમરાવા ગામમાં રહેતા ૫૨ વર્ષીય કલ્યાણસિંહ માનસિંહ રાઠવા ખેતીકામ કરે છે. તેમના ચાર સંતાનો પૈકી બીજાનંબરની પુત્રી શકંકુલાએ ચાર વર્ષ અગાઉ ભીલપુર ગામના વિક્રમ હેમસિંગ રાઠવા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેને સમાજની હાજરીમાં વિક્રમને સોંપાયા બાદ તે પિયરમાં આવી નહોંતી. ગત ૨૦૧૫માં શકુંતલા ગર્ભવતી બની હતી પરંતું પતિ સાથે અણબનાવ થતાં તેને ૧૮૧ મહિલા હેલ્પલાઈનની મોબાઈલ દ્વારા નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ હતી. આ દરમિયાન તેણે સયાજી હોસ્પિટલમાં બે જોડિયા બાળકો જેમાં એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ સમયે તેને પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો હતો. ગત ૨૯-૩-૧૬ના રોજ શંકુતલા સયાજી હોસ્પિટલમાં દાખલ હતી તે સમયે તેણે સાસરિયાં સામે અગાઉ નોંધાવેલી ઘરેલુ હિંસા ધારા મુજબ ફરિયાદની મુદત હોઈ વિક્રમ, તેની માતા શાંતાબેન અને પિતા હેમસિંગ પ્રેમસીંગ રાઠવા અત્રે કોર્ટ મુદતમાં હાજર રહેવા આવ્યા હતા. અત્રે આવેલા શકુંતલાના પતિ તેમજ સાસુ,સસરા તેને મળવા માટે સયાજી હોસ્પિટલમાં ગયા હતા જયાં તેઓએ શકુંતલાના પિતાને સયાજી હોસ્પિટલમાં બોલાવ્યા હતા અને તેઓ પુત્રવધુ અને બંને પૈેાત્રોને તેઓની સાથે લઈ જવાની વાત કરી હતી. પુત્રીનો સંસાર ફરી શરૂ થતો હોઈ કલ્યાણસિંહે ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણી કરી નારી સંરક્ષણ ગૃહના કર્મચારીઓ મારફત શકુંતલા અને તેના બંને બાળકોને સાસરીમાં મોકલી હતી.
 

(5:36 pm IST)